World Social Work Day-2024 , Session-3

  દર વર્ષે માર્ચ મહિનાના ત્રીજા મગળવારે વિશ્વ સમાજકાર્ય દિવસની  ઉજવણી કરવામાં આવે છે. આ વખતે પણ તા.૧૯.૩.૨૦૨૪ નાં રોજ વિશ્વ સમાજકાર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજના આ ખાસ દિવસે શ્રી અંકિતાબેન પટેલ  કે જેઓ હાલ ૧૮૧ મહિલા અભયમ જે ગુજરાત સરકાર દ્રારા શરૂ કરવામાં આવી છે તેમાં કાઉન્સેલર તરીકે ફરજ બજાવે છે. અને તેમની સાથે તેમની સમગ્ર ટીમ આવી હતી. ત્તેમનું સ્વાગત ભવનના વિદ્યાર્થીઓ દ્રારા કરવામાં આવેલ હતું. તેઓએ સમાજકાર્ય ભવનના વિદ્યાર્થીઓને ૧૮૧ મહિલા અભયમનું કાર્ય શું છે અને તે કેવી રીતે મદદરૂપ થઈ શકે તેના વિષે સમજાવ્યું હતું, અને તેનું હાલના સમયમાં ખુબ જ મહત્વ રહેલું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભવનના અધ્યક્ષશ્રી ડો.રાજુભાઈ દવેસરે ખુબજ મહેનત કરી હતીઅને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ચાંદનીબેને કરેલ હતું.  અંતમાં શ્રી ચાંદનીબેન દ્રારા આભાર માની ત્રીજા સેશનની પૂર્ણાહુતી કરેલ હતી. આ કાર્યક્રમમાં ભવનના વિદ્યાર્થીઓ અને હાલ પીએચ.ડી.કરતા વિદ્યાર્થીઓ  ઉપસ્થિત રહ્યાં હતા અને  કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


Published by: Department of Social Work

19-03-2024