ગુજરાતનું લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિ વિષય પર આયોજિત પરિસંવાદ

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા "ગુજરાતનું લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિ" વિષય પર આયોજિત પરિસંવાદનું ઉદ્ઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં માનનીય કુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી સાહેબના વરદહસ્તે કરવામાં આવેલ હતું.

આ પરિસંવાદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં માનનીય કુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી એ ઉપસ્થિત સૌને માર્ગદર્શિત કર્યા હતા.

આ પરિસંવાદમાં વક્તા તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પૂર્વ ઉપકુલપતિશ્રી નરેશભાઈ વૈદ, સેન્ટ્રલ યુનિવર્સીટી સાગરના ચાન્સેલરશ્રી ડો. બળવંતભાઈ જાની, સેન્ટ્રલ યુનિવર્સીટી ગાંધીનગરના ગુજરાતી ભવનના અધ્યક્ષશ્રી ડો. રાજેશભાઈ મકવાણા એ વક્તવ્ય આપેલ હતું.

આ પરિસંવાદમાં શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રનાં નિયામકશ્રી ડો. જે.એમ. ચન્દ્રવાડીયા, પ્રાધ્યાપક્શ્રીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Office of the Vice Chancellor

24-03-2022