૧૬૩. ડૉ. ભીમરાવ આંબેડકરનું જીવન, દર્શન અને કાર્ય તા. ૦૪.૧૦.૨૦૨૪, શુક્રવાર
બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૦૪.૧૦.૨૦૨૪, શુક્રવારના રોજ શ્રી એમ.પી.શાહ આર્ટ્સ & સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગર ખાતે ડૉ. ભીમરાવ આંબેડકરનું જીવન, દર્શન અને કાર્ય વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવેલ. આ પ્રસંગે ચેર - સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ તદુપરાંત ડૉ. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર દ્વારા ચાલતી પ્રવૃત્તિથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રિન્સિપાલ ડો. અમિત મિશ્રા, ડો. ભરતભાઈ કણઝારીયા, ડો. મહેશભાઈ વાણવી, અન્ય શૈક્ષણિક સ્ટાફ તેમજ ચેર - સેન્ટરના મુલાકાતી અધ્યાપક ડો. કાંતિભાઈ કાથડ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.
https://www.facebook.com/share/p/RgUQweW2ZdquJLC8/?mibextid=xfxF2i