ડૉ. બી. આર. આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતિ અને ભારતીય બંધારણ ૭૫ વર્ષ અમૃત મહોત્સવ નિમિતે ઓનલાઈન/ ઓફ્લાઈન વ્યાખ્યાન શ્રેણી - ૨૦૨૪-૨૦૨૫
૧૫૩. બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર સેન્ટરની પ્રવૃત્તિઓ, તા. ૦૭/૦૮/૨૦૨૪, ઓમ કોલેજ, રાજકોટ.
બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૦૭.૦૮.૨૦૨૪, બુધવારના રોજ શ્રી ઓમ કોલેજ ખાતે બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર સેન્ટરની પ્રવૃત્તિઓ વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવેલ. આ પ્રસંગે ચેર - સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ. તદુપરાંત શ્રી ઓમ કોલેજની કોમ્યુટર લેબોરેટરીનું ઉદ્ઘાટન ડૉ. રવિ ધાનાણી દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં કોલેજના ટ્રસ્ટી ડૉ. પરેશભાઈ રબારી, અન્ય ટ્રસ્ટીઓ, સર્વે સ્ટાફ ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં ૧૦૦થી પણ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહેલ.
https://www.facebook.com/story.php?story_fbid=1044254300686759&id=100053065959341&mibextid=xfxF2i&rdid=PETWaQLGMYe8VZMl