૧૭૮. તા.૪.૦૮.૨૦૨૫, સોમવારના રોજ "રાષ્ટ્રપુરુષ: ડૉ. ભીમરાવ આંબેડકર" શિક્ષણશાસ્ત્ર અનુસ્નાતક ભવન, સૌ. યુનિ.
બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૪.૦૮.૨૦૨૫, સોમવારના રોજ શિક્ષણશાસ્ત્ર અનુસ્નાતક ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાષ્ટ્રપુરુષ: ડૉ. ભીમરાવ આંબેડકર વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવેલ. આ પ્રસંગે ચેર - સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ તદુપરાંત ડૉ. બી.આર.આંબેડકર ચેર - સેન્ટર દ્વારા ચાલતી પ્રવૃત્તિથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં શિક્ષણશાસ્ત્ર અનુસ્નાતક ભવનના અધ્યક્ષ પ્રો. મગનભાઈ મોલિયા, ડો. કનૈયાલાલ ડામોર તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.
https://www.facebook.com/share/p/16dPDjXtxZ/