૧૭૫. તા.૨૫/૦૭/૨૦૨૫,શુક્રવારના રોજ "ડૉ. ભીમરાવ આંબેડકરની મહુથી ચૈત્યભૂમિ સુધીની જીવનયાત્રા " સમાજશાસ્ત્ર અનુસ્નાતક ભવન, મહારાજા કૃષ્ણકુમારસીહજી યુનિવર્સિટી, ભાવનગર.
બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૨૫.૦૭.૨૦૨૫, શુક્રવારના રોજ સમાજશાસ્ત્ર અનુસ્નાતક ભવન, મહારાજા કૃષ્ણકુમારસીહજી યુનિવર્સિટી, ભાવનગરમાં ડૉ. ભીમરાવ આંબેડકરની મહુથી ચૈત્યભૂમિ સુધીની જીવનયાત્રા વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવેલ. આ પ્રસંગે ચેર - સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ તદુપરાંત ડૉ. બી.આર.આંબેડકર ચેર - સેન્ટર દ્વારા ચાલતી પ્રવૃત્તિથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રો. ચાવડા સાહેબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો. ભરતભાઈ ખેર, મહારાજા કૃષ્ણકુમારસીહજી યુનિવર્સિટી, ભાવનગરના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રી સંજયભાઈ વાઢેર તેમજ શૈક્ષણિક સ્ટાફ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.
https://www.facebook.com/share/p/1HzBdUt1hA/