૧૭૪. તા.૨૩/૦૭/૨૦૨૫,બુધવારના રોજ "પ્રેરણા પુરુષ: ડૉ. ભીમરાવ આંબેડકર" ઇતિહાસ ભવન, સૌ.યુનિ.
બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા.૨૩/૦૭/૨૦૨૫,બુધવારના રોજ ઇતિહાસ અનુસ્નાતક ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રેરણા પુરુષ: ડૉ. ભીમરાવ આંબેડકર વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવેલ. આ પ્રસંગે ચેર - સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ તદુપરાંત ડૉ. બી.આર.આંબેડકર ચેર - સેન્ટર દ્વારા ચાલતી પ્રવૃત્તિથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં ઇતિહાસ ભવનના અધ્યક્ષ પ્રો. કલ્પાબેન માણેક, ડો. જીતેશભાઈ સાંખટ, ડો. શૈલેષભાઈ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.
https://www.facebook.com/share/16ZTVMFBhS/?mibextid=xfxF2i
https://www.facebook.com/share/p/1AmwpyUfDP/